જીવનચણતર (Jivan Chantar)

Dec 13, 2021

નિવેદન

 પૂજ્ય શ્રીમોટાની સાધનાની જેમ તેમનું સાહિત્ય સર્જન પણ ઝપાટાભેર ચાલ્યું છે. ઉપરાંત, આવાં ભજનોમાં તેમની સાધનાનો ઇતિહાસ છુપાયેલો છે.

પૂજ્ય શ્રીમોટા વિરચિત વિપુલ અને વિરલ સાહિત્યના અભ્યાસીને ઉપર જણાવેલ વિગતની યથાર્થતા કંઈક અંશે સમજાશે. આવા સાહિત્યમાં જીવનચણતર’નો સમાવેશ થાય છે.

વર્ષો વીતશે તેની સાથે સ્વજનોમાં પૂજ્ય શ્રીમોટાના પદ્યસર્જન પ્રત્યે અભિરુચિ વધતી રહેશે અને તેનું વાચન-મનન તેમના જીવનવિકાસના પંથ ઉપર ઉપયોગી બનશે, એવી આશા અને શ્રદ્ધા સાથે જીવનચણતર’ની આ બીજી આવૃત્તિ સ્વજનોનાં કરકમળમાં આનંદની લાગણી સાથે અમો રજૂ કરીએ છીએ.

આ પુસ્તકની મુદ્રણશુદ્ધિનું કાર્ય પૂરા સદ્‌ભાવથી અને ચોકસાઈપૂર્વક શ્રી જયંતીભાઈ જાનીએ કરી આપ્યું છે. ટાઇટલ ડિઝાઇનનું કાર્ય શ્રી મયૂરભાઈ જાનીએ કરી આપ્યું છે. આ પુસ્તકને  સદ્‌ભાવથી છાપી આપવાનું કાર્ય સાહિત્ય મુદ્રણાલયના શ્રી શ્રેયસભાઈ વિષ્ણુભાઈ પંડ્યાએ કરી આપ્યું છે. પૂજ્ય શ્રીમોટા પરત્વેના ભક્તિભાવથી પ્રેરાઈને આ સર્વેએ આ પ્રકાશનમાં આપેલા સહકાર બદલ, તે સૌના અમો ખૂબ ખૂબ આભારી છીએ.

આશા છે કે સ્વજનો આ પ્રકાશનને આવકારશે.

ભાદરવા વદ-૪, સંવત ૨૦૬૩                                                                                                                                             ટ્રસ્ટીમંડળ,

તા. ૩૦-૯-૨૦૦૭                                                                                                                                                        હરિઃૐ આશ્રમ, સુરત

Read PDF Book Read Flipbook Buy Book
0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Books

View All